Connect Gujarat
ગુજરાત

સુરતમાં બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતાં 3 વર્ષના બાળકનું મોત

સુરતમાં બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતાં 3 વર્ષના બાળકનું મોત
X

સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા હુસેની ચોક ખાતે મુસ્લિમ સમુદાયનો નિયાઝ મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવને જોવા માટે ત્રણ વર્ષનું બાળક બિલ્ડિંગનાં ચોથા માળની બારીમાંથી ડોકીયું કરી રહ્યું હતું. તેવામાં પગ લપસી જતાં નીચે પટકાયું હતું. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ ઉપરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતનાં ગોપીપુરા હુસેની ચોક ખાતે આવેલી એક બિલ્ડીંગના ચોથા માળે જાકીર ખાન પરિવાર સાથે રહે છે. ડેકોરેશનનું કામ કરતાં જાકીરને ચાર સંતાનોમાં ત્રીજા નંબરનું બાળક ટોહિત રાત્રીના સમયે માતા-પિતા જમી રહ્યા કરતાં ત્યારે તેમની નજર ચુકવીને મોહલ્લામાં ચાલતાં મહોત્સવને જોવા માટે બારી પાસે ડોકિયું કરી રહ્યું હતું. આ દરમિયાન તેનો પગ લપસી જતાં ચોથા માળેથી નીચે પટકાયું હતું. જેના પગલે સોસાયટીનાં રહિશો એકઠા થઈ જતાં પરિવારને જાણ કરી હતી. અચાનક ઘટેલી આ ઘટનાથી ગભરાયેલો પરિવાર તુરત જ નીચે ઉતર્યો હતો. બાળકને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં બાળકને તબીબોએ મૃત જાહેર કર્યું હતું. જેના પગલે પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું હતું.

Next Story