Connect Gujarat
ગુજરાત

સુરત : લાલગેટ વિસ્તારમાં પતિએ કરી હતી પત્નીની હત્યા

સુરત : લાલગેટ વિસ્તારમાં પતિએ કરી હતી પત્નીની હત્યા
X

સુરત શહેરમાં ઘરેલુ કંકાસમાં પતિ દ્વારા પત્નીના હત્યા કરી નાખવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું ઉપરાંત પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સાંજનો સમય હતો અને એક દીકરો ઘરે આવ્યો, ઘરનું બારણું અંદરથી હતું બંધ, મોટા દીકરા દ્વારા બારણું ખોલવા માટે અને અંદર અવાજ પોહચે તે તમામ કર્યા હતા પ્રયાસ, પરંતુ છેવટે પડોશીઓની મદદથી બારણું તોડવામાં આવતા પુત્રના પગ નીચે થી જમીન સરખી ગઈ હતી, પિતા આગળના રૂમમાં પડ્યા હતા અને માતા લોહીલુહાણ હાલતમાં હતી, વાત છે સુરતના સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે મનોહર કોમ્પ્લેક્સના બીજા મળેની જ્યાં પતિએ ચાકુ વડે પત્ની ના ગળા પર તીક્ષ્ણ હત્યારના ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી, અને ત્યાર બાદ પતિએ પણ ઝેરી દવા પી પોતાનો જીવ ગુમાવવાની કોશિશ કરી હતી , આ પરિવારમાં બે સંતાન છે. જઉંમ મોટો પુત્ર પ્રથમ ઘરે આવ્યો હતો.

સમગ્ર મામલો જોતા સ્થાનિક લાલગેટ પોલીસ ને જાન કરવામાં આવી હતી,ઉચ્ચકક્ષાના આઘીકારી સહિત ડોગ સ્કોડ ઘટના સ્થળે આવી પોહચ્યું હતું અને તપાસ શરૂ કરી હતી , પ્રથમિક પૂછપરછમાં બંને પતિ-પત્તની વચ્ચે છેલ્લા કેટલા સમયથી ઘરેલુ કંકાસ ચાલતી આવી હતી, જેથી આ હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન હાલ પોલીસ દ્વારા લગાવામાં આવ્યું છે.ઘરેલુ કંકાસ આજે એક પરિવાર ને વેરવિખેર કરી ગયું છે , બે બાળકો આજે હોસ્પિટલ અને પોલીસના ચક્કરમાં આવી ગયા છે, એક તરફ માતા ગુમાવી તો બીજી તરફ પિતા ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.

Next Story