Connect Gujarat
ગુજરાત

સુરત :  વેડરોડ પર આવેલા પંડોળ વિસ્તારમાંથી એક આધેડની હત્યા કરાયેલી લાશ મળી

સુરત :  વેડરોડ પર આવેલા પંડોળ વિસ્તારમાંથી એક આધેડની હત્યા કરાયેલી લાશ મળી
X

સુરતના વેડરોડ સ્થિત આવેલા પંડોળ વિસ્તારમાં એક આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આસપાસના સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતના પંડોળ વિસ્તારમાં બપોરના સમયે એક આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસને બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં મારનારનું નામ ખોડાભાઈ વિરજીભાઈ બાબરીયા (ઉ.વ.આ. 50) રહે વેડ રોડ પડોળ) હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત તેઓને માથામાં પથ્થરથી હુમલો અને લગભગ ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ છે. ખોડાભાઈનું પરિવાર વરાછામાં રહેતું હોવાનું અને ખોડાભાઈ પરિવારથી અલગ રહેતા હોવાનું બહાર આવ્યું હતું.

ખોડાભાઈ જેરામ મોરાની વાડીમાં રત્નકલાકારો તરીકે કામ કરતા હતા.ખોડાભાઈનું કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી જતા પોલીસે નાકાબંધી કરી તમામને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. ધોળે દિવસે યુવાનની હત્યા પાછળ ઘેરાતું રહસ્ય જાણવા પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરી હતી.

Next Story