Connect Gujarat
Featured

સુરત : 25 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓને VNU સમરસ હોસ્ટેલમાં પ્રવેશ નહીં અપાતાં જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન

સુરત : 25 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓને VNU સમરસ હોસ્ટેલમાં પ્રવેશ નહીં અપાતાં જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન
X

સુરત શહેર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં હાલમાં 25 વર્ષથી વધારે વયની વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો નથી. કોઈપણ વિદ્યાર્થીનીને ગ્રેજ્યુએશન કર્યા બાદ M.Com, બીએડ્ કર્યા બાદ M.ed સુધી પહોંચતા અમુક સંજોગોમાં 25 વર્ષની વય થઈ જાય છે. પરંતુ એમ.એ.બી.એડ અભ્યાસક્રમમાં યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ સુરત આસપાસના જિલ્લાઓમાંથી આવતી હોય છે. જેમાં 25 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. તો સાથે જ અનેક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રવેશ મેળવી શકતી નથી,

ત્યારે 25 વર્ષ કરતાં વધુ વયના વિદ્યાર્થીનીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવાની માંગને લઇ એનએસયુઆઇ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોરચાર કરી આવેદન પત્ર પાઠવાયું હતું. જો આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં હતી.

Next Story