સોમનાથ મહાદેવને ત્રિરંગી શ્રુંગાર કરી પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી
BY Connect Gujarat26 Jan 2019 3:26 PM GMT
X
Connect Gujarat26 Jan 2019 3:26 PM GMT
દેશભરમાં આજે 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવી છે. ત્યારે દેવાધિદેવ એવા મહાદેવ અને દેશના પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ પણ આજે તિરંગાના રંગે રંગવામા આવ્યા હતા.
સોમનાથ મહાદેવને આજે ત્રિરંગી પાઘ અને અન્ય વિવિધ પ્રકારના શણગાર કરવામા આવ્યા હતા. તો આ તકે સોમનાથ મહાદેવના દર્શને આવનાર સૌ કોઈ ભાવિભક્તો દેવાધિદેવ મહાદેવના આ સ્વરૂપને જોઈ ભાવવિભોર થયા હતા.
Next Story