હાંસોટ ખાતે અશ્વ મેળા અંતર્ગત દોડ યોજાઈ
BY Connect Gujarat18 April 2017 1:46 PM GMT
X
Connect Gujarat18 April 2017 1:46 PM GMT
હાંસોટ ખાતે હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા તારીખ 16મી એપ્રિલ રવિવારના રોજ અશ્વ મેળા અંતર્ગત ઘોડ દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
હાંસોટ ખાતે યોજાયેલ અશ્વ મેળામાં 123 જેટલા અશ્વો સાથે તેના માલિકો ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 87 ઘોડે સવારો એ યોજાયેલી જુદીજુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં મોટી રવાલમાં વટામણ ચોકડી પાસે રહેતા અશરફ ખાન, નાની નરોલીના બકરભાઈ તર્કી, તેમજ ઇકબાલ હાટિયા પાનોલીના રહેવાશી વિજેતા બન્યા હતા, જ્યારે નાની રવાલમાં અશરફ ખાન, પાલેજના કમલેશભાઈ, સાપણ ગામના હાજી રસીદના અશ્વોએ બાજી મારી હતી, આ ઉપરાંત અશ્વોની ઝડપની દોડમાં સરથાણના દિલાવરભાઈ, હાંસોટના ઇરફાન કાનુગા, અમદાવાદના હિતેન્દ્રસિંહ ચાવડા વિજેતા બન્યા હતા.
અશ્વ દોડમાં વિજેતા બનેલા હોર્સ રાઈડરોને ટ્રોફી તેમજ પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Next Story