હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને BCCI એ આપી મોટી રાહત
કૉફી વિથ કરણ શૉના વિવાદ મામલે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ માટે સારા સમાચાર છે. CoA દ્વારા હાર્દિક પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. એટલે કે હવેથી ખેલાડીઓ ક્રિકેટ મેચ રમી શકશે.
કૉફી વિથ કરણ શૉ પર થયેલા વિવાદને કારણે આ બન્ને ખેલાડીઓ પર ક્રિકેટ રમવાને લઇને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છતા હાલમાં જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ આ બન્ને ખેલાડીઓ ક્રિકેટ રમી શકશે, પરંતુ તેમના પર આ મામલે તપાસ ચાલું જ રહશે.
હાર્દિક પંડ્યાએ કૉફી વિથ કરણમાં મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ બન્ને ખેલાડીઓને ચારે બાજુથી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. BCCIએ હાર્દિક અને રાહુલને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રિકટે રમવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
પરંતુ થોડા દિવસ બાદ BCCIએ CoAને ભલામણ કરી હતી કે જ્યાં સુધી તપાસ ચાલું છે, ત્યાં સુધી તે બંને ખેલાડીને ક્રિકેટ રમવા માટે તક આપવી જોઇએ.જોકે આ કેસમાં હજી સુપ્રીમ કોર્ટ તપાસ માટે લોકપાલની નિયુક્તિ કરશે અને ત્યાર બાદ જ નક્કી થશે કે આ ખેલાડીઓને સજા મળશે કે નહીં, પરંતુ તપાસ દરમિયાન આ બંને ખેલાડી મેચ રમી શકશે તેવી મંજૂરી આપવામાં આવી છે.