11 ફેબ્રુઆરી એ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.
દક્ષિણ ગુજરાત વીજ કપની તરફથી મળેલ માહિતી અનુસાર તા. 11.02.2017 ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના 66 કેવી “એ” સબ-સ્ટેશન તેમજ 132 કેવી સબ-સ્ટેશનના તમામ ફીડરો સવારે 7 કલાક થી સાંજે 6 ક્લાક સુધી બંધ રહેશે.
આ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જીનીયર દ્વારા કરવામાં આવી છે તેમજ આ અંગેની જાણ ગ્રાહકોને સહયોગ આપવાની વિનંતી સાથે કરવામાં આવી હતી.
જીઆઇડીસી વિસ્તારના "એ" સબ ડીવીસન બંધ રહેવાને કારણે ગ્લેનમાર્ક, UPL-II, બાયર કોર્પ, મેઘમણી ચોકડી, કેડિલા હેલ્થકેર અને ફાર્મા, પ્રજ્ઞા, આસ્તિક DYE, એશિયન પેન્ટ ચોકડી, લિટ્ટલ હટ ચોકડી, અતુલ, મુક્તિ ચોકડી, વાખરડ, લ્યૂપિન, કે પટેલ, જિઆઈડીસી ઓફિસ, નોટીફાઈડ ઓફિસ, AIA ઓફિસ, જયાબેન મોદી હોસ્પિટલ, રાગિની સિનેમા, સ્ટેશન વિસ્તાર, વાલિયા ચોકડી વિસ્તારમાં આવેલ કંપનીઓ અને રહેણાંક વિસ્તારો સહીત દુકાનો ને અસર થઈ શકે છે.