Connect Gujarat
Featured

ભાવનગર જિલ્લામા આજે ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામા આજે ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
X

ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૯૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૯ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાનાં ઇંગોરાળા ગામ ખાતે ૧ તથા સિહોર તાલુકાનાં નેસડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૬ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૫,૯૯૦ કેસ પૈકી હાલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૮૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Next Story