Connect Gujarat
સમાચાર

ગુજરાતમાં કોરોનાના 1101 નવા પોઝિટિવ કેસ નોધાયા,22 દર્દીઓના મોત

ગુજરાતમાં કોરોનાના 1101 નવા પોઝિટિવ કેસ નોધાયા,22 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1101 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 22 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે 805 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસનો આંકડો 63675 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2487 નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 46587 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે 1106 નોધાયેલા કેસ પૈકી સુરતમાં 237, અમદાવાદ 155, વડોદરા 96, રાજકોટ 94, ભાવનગર 72, મહેસાણા 43, જામનગર 52, પંચમહાલ 27, જુનાગઢ 40, વલસાડ 20, ગાંધીનગર 29, નવસારી 19, અમરેલી 17, દાહોદ 17, ખેડા 17, આણંદ 16, ભરૂચ 16, કચ્છ 16, બોટાદ 15, ગીર સોમનાથ 14, છોટા ઉદેપુર 13, દેવભૂમિ દ્વારકા 13, નર્મદા 10, સુરેન્દ્રનગર 10, પાટણ 9, મોરબી 8, સાબરકાંઠા 8, પોરબંદર 7, તાપી 4, બનાસકાંઠા 3, અરવલ્લી 1, મહીસાગર 1 કેસો મળ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મોત થયા હતા. જેમાં સુરતમાં 12, અમદાવાદમાં 2, ભાવનગરમાં 2, વડોદરામાં 2, દેવભુમિ દ્વારકા 1, ગાંધીનગર 1, પાટણ 1 અને રાજકોટમાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.

આજે 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ 8,14,335 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14601 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14520 દર્દીની હાલત સ્થિર છે.

Next Story