Connect Gujarat
દેશ

2 કરોડ લોકોને પત્ર લખશે પીએમ નરેન્દ્ર મોદી

2 કરોડ લોકોને પત્ર લખશે પીએમ નરેન્દ્ર મોદી
X

કેન્દ્રમાં મોદી સરકાર આ 26મી મેના રોજ પોતાના 3 વર્ષ પૂર્ણ કરી રહી છે, આ અવસર પર ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે, જે 26 મે થી લઈને 15 જુન સુધી ઉજવણી કરવામાં આવશે.

ઉજવણીની ખાસ વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી 2 કરોડ લોકોને પત્ર લખશે, અને 5 શહેરોની મુલાકત પણ કરશે, મીડિયા અનુસાર જાણકારી મળી હતી કે પીએમ મોદી ઉજવણીની શરૂઆત ગુવાહાટીથી કરશે, જેના પછી પીએમ મોદી બેંગ્લુરુ, પુણે, કોલકાતા, જયપુર અને કોટા પણ જશે, મોદી સરકારની આ ઉજવણીમાં બધા બીજેપી શાસિત પ્રદેશના મુખ્યમંત્રી હાજર રહશે, આ કાર્યક્રમાં મોદી સરકાર દ્રારા બધી યોજનાઓની જાણકારી આપવામાં આવશે, તમામ કેન્દ્રીય મંત્રીઓ 27-28 મેના રોજ મીડિયા સાથે વાતચીત કરશે.

તે સિવાય તમામ મંત્રાલયો પોતાની યોજનાઓની માહિતી આપતી બુકલેટ જાહરે કરશે, પીએમ મોદી અગાઉ પણ પાર્ટીના તમામ સાંસદોને સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાની વાત કરી ચુક્યા છે.

Next Story