જાપાને ભારતીયો ની વિઝામુદ્દત માં કર્યો વધારો.
BY Connect Gujarat11 March 2016 9:27 AM GMT
X
Connect Gujarat11 March 2016 9:27 AM GMT
પ્રવાસન અને બિઝનેશના ગ્રોથ એન્જીનને ઝડપી ગતિએ દોડવા માટે ભારત સરકારે ૧લી માર્ચ ૨૦૧૬ થી જાપાનીસ પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઈવલ્સ ઉપરાંત અગાઉ ઓન લાઈન વિઝા ની શરૂઆત કરી છે.જેનો હકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યો છે.અને જાપાને પણ ભારતીય પ્રવાસીઓ માટેની વિઝાની મુદ્દત 3 વર્ષ થી વધારીને ૫ વર્ષની કરી છે.જયારે જાપાનમાં ભારતીય પ્રવાસીઓ માટે રોકવાની મુદત ૧૫ દિવસથી વધારીને 30 દિવસ ની કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.બંને દેશોના વડાપ્રધાનોની મુલાકાત થી સંબંધો વધુ મજબુત બન્યા હોવાનું કહેવાય છે.
Next Story