Connect Gujarat
દેશ

RSS નેતા બલરાજ મધોકનું અવસાન,મોદીએ વ્યક્ત કર્યો શોક

RSS નેતા બલરાજ મધોકનું અવસાન,મોદીએ વ્યક્ત કર્યો શોક
X

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નેતા, ભારતીય જન સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને ભારતના 1960ના દાયકાના નેતા બલરાજ મધોકનું આજે 69વર્ષે દુઃખદ અવસાન થયું છે.

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે મધોકનું નવી દિલ્હી ખાતેના તેમના નિવાસ્થાને સવારે 9 વાગ્યે નિધન થયું હતું. તેઓ ઘણાં સમયથી બિમાર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલરાજ મધોકના મૃત્યુ પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ મુજબ મોદીએ સદગતને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે મધોક દેશ અને સમાજને નિસ્વાર્થ ભાવે સમર્પિત રહ્યા છે.

મધોક મૂળ જમ્મુ-કાશ્મીરના હતા. તેમણે 1951માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના કરી હતી. 1961માં તેઓ લોકસભામાં પણ ચૂંટાઇ આવ્યા હતા.

To view this news in English Click Here

Next Story