Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે નો વિદાય સમારંભ યોજાયો

ભરૂચ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે નો વિદાય સમારંભ યોજાયો
X

ભરૂચ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેની તાજેતર માં જ રાજકોટ ખાતે બદલી થઇ છે.અને તેઓની ભરૂચ ની ટુંકી પણ ખુબજ યાદગાર કર્મ નિષ્ઠાનાં સંસ્મરણો ની સંસ્મૃતિ અર્થે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા ભરૂચ શહેરની એક હોટલ ખાતે યોજાયેલ વિદાય સમારંભમાં કલેકટર ડો.વિક્રાંત પાંડે તેઓના ધર્મ પત્ની આરતીબહેન પાંડે ,ભરૂચ સિટીઝન કાઉન્સિલ ના કમલેશ ઉદાણી,હરીશ જોષી,SDM યાદવ,ભરૂચ તેમજ નાગરાલિકા ના પ્રમુખ,દહેજ,ઝગડિયા ઉદ્યોગ મંડળ ના પ્રતિનિધિઓ તેમજ જીલ્લા ની સ્વૈચ્છિક સંસ્થા ના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

vi2

આ પ્રસંગે તાજેતરમાં ભરૂચ જીલ્લા માંથી જીલ્લા કલેકટર તરીકે બદલી પામેલ ડો.વિક્રાંત પાંડે ને શુભેચ્છાઓ પાઠવીને તેઓનો સાથ સહકાર સદા ભરૂચ જીલ્લા વાસીઓને મળી રહે તેવી આશા પણ ભરૂચ સિટીઝન કાઉન્સીલે વ્યક્ત કરી હતી.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પણ વાલિયા ચોકડી નજીક આવેલ હોટલ ના સભા ખંડ ખાતે કલેકટર ડો.વિક્રાંત પાંડે નો વિદાય સમાંરભ યોજવામાં આવ્યો હતો.આ પ્રંસગે પણ કલેકટર ડો.વિક્રાંત પાંડે તેઓના ધર્મ પત્ની આરતીબહેન પાંડે,ભરૂચ પ્રાંત અધિકારી અમિત યાદવ તેઓના ધર્મપત્ની ચિત્રાબહેન યાદવ,અંકલેશ્વર ના SDM દીપક શુક્લા,અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ ચંદ્રેશ દેવાણી,ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડિયા,કમલેશઉદાણી ,વિભાગીય પોલીસવડા રવિરાજસિંહ જાડેજા,અભેસિંહ રાઠોડ સહીત ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

vi3

કલેકટર ડો.વિક્રાંત પાંડે ને આ પ્રસંગે ઉદ્યોગ મંડળ દ્વારા સ્મૃતિ ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.

ડો.વિક્રાંત પાંડે એ આ પ્રસંગે ભરૂચ જીલ્લા વાસીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો,તેઓએ વધુમાં જણવ્યું હતું કે વ્યક્તિગત થી ઉપર જઈને માનવતા સ્વીકારીને જયારે કામ કરવામાં આવે છે તો જ લોકો અને અધિકારીઓ ની વચ્ચે સેતુનું નિર્માણ થતું હોય છે.

vi4

Next Story