Connect Gujarat
સમાચાર

અંકલેશ્વરમાંથી ગુમ થયેલ બે બાળકોની નાટકીય રીતે ઘર વાપસી

અંકલેશ્વરમાંથી ગુમ થયેલ બે બાળકોની નાટકીય રીતે ઘર વાપસી
X

બાળકોએ અપહરણ થયું હોવાનું પોલીસને જણાવ્યું.

અંકલેશ્વર ગડખોલ પાટીયા વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં રહસ્યમય રીતે ગુમ થયેલ બે બાળકો હેમખેમ પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ તેઓના નાટકીય રીતે પરત ફરવાની ઘટનામાં શહેર પોલીસ કોયડો ઉકેલવાની મથામણ કરી રહી છે.

પ્રાપ્ત શહેર પોલીસ સુત્રિય માહિતી અનુસાર અંકલેશ્વર ગડખોલ પાટીયા વિસ્તારમાં રહેતા 11 વર્ષિય કૃષ્ણા જયચંદસિંહ અને તેનો 13 વર્ષિય મિત્ર અજય જયરામસિંહ ગત તારીખ 22મી એપ્રિલે ગડખોલ પાટિયા પાસેથી સાંજે રહસ્યમય રીતે ગુમ થયા હતા. જેમાંથી કૃષ્ણા જયચંદસિંહ ગત રોજ પ્રથમ નાટકીય રીતે ઘરે પરત ફર્યો હતો. જ્યારે તેનો મિત્ર અજય ત્યારબાદ ઘરે આવ્યો હતો.

આ રહસ્યમય ઘટનામાં કૃષ્ણા અને અજયની શહેર પોલીસે પૂછપરછ આરંભી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગડખોલ પાટીયાથી અજાણ્યા શખ્સો ઇકો કારમાં અપહરણ કરીને મુંબઇ લઇ ગયા હતા. જ્યાં હોટલમાં રાખીને કામ કરાવતા હતા.

download (2)

કૃષ્ણાને અપહરણકર્તાએ પોતાનો મોબાઇલ ફોન ચાર્જ કરવાનું જણાવ્યું હતું અને આ તકનો લાભ લઇને ત્યાંથી ભાગીને ટ્રેન મારફતે સુરત અને સુરતથી અંકલેશ્વર પરત આવ્યો હોવાનું કૃષ્ણાએ પોલીસને જણાવ્યું હતું. જ્યારે કૃષ્ણા પાસેથી એક મોબાઇલફોન અને તેનું બીલ જપ્ત કરીને પોલીસે ઘટનાની તલસ્પર્શીય તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત અન્ય જયરામસિંહને અપહરણકારો ગડખોલ પાટીયા પાસે છોડીને જતા રહ્યા હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ રજૂ કરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસે બંને બાળમિત્રોના નિવેદનો નોંધીને ઘટના અંગે તથ્ય બહાર લાવવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Next Story