Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના પુત્રવધુના બેસણામાં રાજકીય નેતાઓની હાજરી

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના પુત્રવધુના બેસણામાં રાજકીય નેતાઓની હાજરી
X

શંકરસિંહ વાઘેલા,ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ ઝૈનબ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના પુત્રવધુ ઝૈનબ પટેલનું લાંબી માંદગી બાદ દિલ્હી ખાતે દુઃખદ નિધન થયું હતું. આ ઘડીમાં તેઓના પરિવારજનોને સાંત્વના અર્પવા માટે રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

70198285-1cd6-4762-bd11-98c7900f0600

જૂન 2016માં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ધર્મપત્ની ઝૈનબ પટેલનું ગંભીર બીમારી બાદ દુઃખદ નિધન થયું હતું. અંકલેશ્વર પીરામણ ગામની અહેમદ પટેલની વાડી ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં અહેમદ પટેલ, તેમના પુત્ર ફૈઝલ સહિત પરિવારજનોને સાંત્વના અર્પવા માટે ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ઝૈનબ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

a562bf30-70b1-498d-a3b4-e5b69edbfd47

ઉપરાંત રાજકારણ ભૂલી જઈને ભારતીય જનતા પાર્ટીના ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિતના ભાજપના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. વધુમાં ભારતીય ટ્રાઇબલ સેનાના અધ્યક્ષ મહેશ વસાવાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. જ્યારે સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને અહેમદ પટેલ તેમજ તેઓના પુત્ર ફૈઝલ અને તેમના પરિવારને આ આઘાતજનક ઘડીમાં પ્રભુ હિંમત આપે તેમજ ઝૈનબ પટેલના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

Next Story