Connect Gujarat
દેશ

કેજરીવાલે સુવર્ણમંદિરમાં જઇને ધોયા વાસણ

કેજરીવાલે સુવર્ણમંદિરમાં જઇને ધોયા વાસણ
X

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના પ્રસિદ્ધ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં પશ્ચાતાપ કર્યો હતો.

કેજરીવાલે સુવર્ણમંદિરમાં વાસણો ધોઇને સેવાકાર્ય કર્યું હતું. તેમણે 30 મિનિટ લંગર હોલમાં વાસણો ધોઇને કલાક સુધી સેવાકાર્ય કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે “આપના ઘોષણાપત્રમાં અજાણે થયેલી ભૂલો માટે માફી માંગવા માટે અહીં આવ્યો છું. હવે મારૂં મન શાંત છે.”

અરવિંદ કેજરીવાલ સોમવારે સવારે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે આપના નેતા આશિષ ખેતાન પણ હતા.

અરવિંદ કેજરીવાલ પોતાની આ મુલાકાતને રાજનીતિથી દૂર રાખવા માંગતા હતા. તેથી તેમણે અહીં કોઇ મીટિંગ કે મીડિયા સાથે મુલાકાત ગોઠવી નહોતી.

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની યોજાનાર છે. જેમાં આપ દ્વારા બધી જ બેઠકો પરથી ચૂંટણી લડવામાં આવશે.

Next Story