Connect Gujarat
ગુજરાત

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે ભક્તો નો ધસારો

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે ભક્તો નો ધસારો
X

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, તેમજ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કર્યા બાપાના અંતિમ દર્શન

પ્રમુખ સ્વામી મહારાજના નિધન બાદ દેશ વિદેશમાં તેમના ભક્તોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે, અને તારીખ 15મી ઓગષ્ટના રોજ PM નરેન્દ્ર મોદીએ બાપાના દર્શન કર્યા હતા.

Cp9nbzrUMAE6MZW

તારીખ 16મી ઓગષ્ટે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વસુબેન ત્રિવેદી એ પણ બાપાના અંતિમ દર્શન કરીને વંદન કર્યા હતા. જયારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ સાળંગપુર ખાતે આવ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા હતા.

આ પ્રસંગે કેજરીવાલે જણાવ્યુ હતુ કે કેટલીક દિવ્ય આત્માઓ હોય છે અને જે યુગો પછી જન્મ લેતી હોય છે પ્રમુખ સ્વામી મહારાજ એક દિવ્ય સ્વરૂપ હતા, તેઓએ માનવતાની ભલાઈ અને હિન્દૂ સંસ્કૃતિના પ્રચાર માટે જીવન સમર્પિત કર્યું છે.

Cp9naIgUIAAons0

અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 17મી ઓગષ્ટ બુધવારના રોજ પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ વિધિ કરવામાં આવશે અને આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહીને બાપાના અંતિમ દર્શન કરશે.

Next Story