Connect Gujarat
દેશ

બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો કૌશલ ભારત અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર

બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો કૌશલ ભારત અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર
X

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૌશલ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેથી ભારતના યુવાપ્રતિભાને પ્રોત્સાહન મળશે.

સિદ્ધાર્થે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ભારત વિપુલ પ્રમાણમાં પ્રતિભા ધરાવે છે અને કૌશલ ભારત અભિયાન તેને માર્ગદર્શન અને સહાય માટેનું એક પ્લેટફોર્મ છે અને આ પહેલમાં ભાગ લેવા તેમજ સરકારને મદદ કરવા તે ખુબ ઉત્સાહિત છે.

સિદ્ધાર્થે વધુમાં ઉમેર્યું હતુ કે આ અભિયાન ભારતના મહત્વાકાંક્ષી યુવાનોને જરૂરી દિશા પુરી પાડશે.

આ પહેલનો મુખ્ય ઉદેશ રાષ્ટ્રના યુવાનોને પ્રોત્સાહન આપીને તેમને કુશળ બનાવવાનો છે. આ અભિનેતા સાથે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેમજ સુપ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકર પણ આઝુંબેશને સમર્થન આપીને તેમા વધુમાં વધુ લોકો સંકળાય તેવી પ્રવૃત્તિમાં જોડાયા છે.

Next Story