Connect Gujarat
ગુજરાત

પ્રવકતા કક્ષાના માણસને મુખ્યપ્રધાન બનાવી દેવામાં આવ્યા : હાર્દિક પટેલ

પ્રવકતા કક્ષાના માણસને મુખ્યપ્રધાન બનાવી દેવામાં આવ્યા : હાર્દિક પટેલ
X

રાજકોટ ખોડલધામ ખાતે પાટીદાર નેતા હાર્દિક પટેલે દર્શન કર્યા હતા, જયારે સર્કિટ હાઉસમાં રોકાણ દરમિયાન હાર્દિકે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

રાજકોટની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યુ કે વિજય ભાઈ રૂપાણીએ પ્રવકતા કક્ષાના માણસ છે. ભાજપે એક પ્રવકતા કક્ષાના માણસને મુખ્યપ્રધાન બનાવી દીધા છે. કારણ કે આનંદીબેનના ગયા બાદ એક પણ જાતનો સંતોષકારક નિર્ણય વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો નથી. પાટીદારો સાથે માત્ર વાટાઘાટો થઈ રહ્યાની વાતો ચાલે છે જો કે સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં નથી આવી રહ્યા.આ ઉપરાંત તેને સાંસદ વિઠ્ઠલ રાદડિયા પર પણ પ્રહારો કર્યા હતા.

Next Story