જાણો અંકલેશ્વરની બેંકના સ્ટાફમાં શા માટે થઇ ભાગદોડ
BY Connect Gujarat21 Jan 2017 12:25 PM GMT
X
Connect Gujarat21 Jan 2017 12:25 PM GMT
અંકલેશ્વરની બેંક ઓફ બરોડાના સ્ટાફમાં દોડાદોડી થઇ ગઈ હતી, અચાનક જ બનેલી ઘટનાના પગલે કર્મચારીગણ પણ હેબતાઈ ગયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે બેંકની બહાર નીકળી ગયા હતા.
અંકલેશ્વર એસ એ મોટર્સ પાસે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં અચાનક એક અત્યંત ઝેરી કોબ્રા નાગે દેખાદેતા કર્મચારી વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો હતો, અને સાપ થી બચવા માટે તમામ બેંક ની બહાર નીકળી ગયા હતા.
બેંક સૂત્રો દ્વારા આ અંગેની જાણ જીવદયાપ્રેમી સંજય પટેલને કરવામાં આવતા આ યુવાને દોડી આવીને સુરક્ષિત રીતે ઝેરી કોબ્રાને સ્નેક પકડવાની સ્ટિક થી ઝડપી લઈને દૂર સુરક્ષિત સ્થળે મુક્ત કરી દીધો હતો.
બેંકમાંથી નાગનું આવેલુ અવરોધ હેમખેમ દૂર થઇ જતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
Next Story