Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં સાઇકલવીરો દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ

અંકલેશ્વરમાં સાઇકલવીરો દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ
X

બાઇસિકલ ક્લબ દ્વારા દ્રિતીય સાઈકલોથોનનું કરાયુ સફળ આયોજન

અંકલેશ્વર જીઆઇડીસીના બાઇસિકલ ક્લબ દ્વારા દ્રિતીય સાઇકલોથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉત્સાહભેર સાઇકલવીરોએ ભાગ લઈને જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

બાઇસિકલ ક્લબ તેમજ સામાજિક સંસ્થાઓના સહયોગ થી આયોજિત દ્રિતીય સાઇકલોથોનનો પ્રાંત અધિકારી વી.પી.પટણી એ અંકલેશ્વર જીઆઇડીસી જોગર્સપાર્ક ખાતે થી લાલ રિબીન કાપીને પ્રારંભ કરાવ્યો હતો. નાના બાળકો સહિત મહિલાઓ તેમજ વૃદ્ધોએ પણ આ સાઇક્લોથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં પ્રાંત અધિકારી વી.પી.પટણી એ જણાવ્યુ હતુ કે લોકો સાઇકલનો ઉપયોગ નિયમિત પણે કરે અને પર્યાવરણની જાળવણી સહિત હેલ્થ પ્રત્યે પણ જાગૃત બને તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલ સાઈક્લોથોન ના આયોજન બદલ બાઇસિકલ ક્લબના પ્રયાસોને તેઓએ બિરદાવ્યા હતા.

દ્રિતીય સાઇક્લોથોન માં અંદાજિત 1000 કરતા પણ વધુ રજિસ્ટ્રેશન નોંધાયા હતા.અને ઉત્સાહભેર સાઇકલવીરો એ ભાગ લઈને સેવ એનર્જી, તેમજ પર્યાવરણની જાળવણી ઉપરાંત સાઈકલિંગ થકી થતા ફાયદાઓ સંદર્ભે લોક જાગૃતતા ના પ્રયાસો કર્યા હતા.

આ પ્રસંગે બાઇસિકલ ક્લબના નરેશ પુંજારાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત દરમિયાન સાઇક્લોથોનમાં જોડાયને સાથ સહકાર આપવા બદલ સાઇકલવીરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાઇસિકલ ક્લબ દ્વારા લોકો વધુમાં વધુ સાઈકલિંગ થકી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે અર્થે જોગર્સપાર્ક ખાતે પાંચ સાઇકલ પણ મુકવામાં આવી છે જેનો ઉપયોગ પણ લોકો કરી શકે તેવો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Next Story