Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયુ

અંકલેશ્વરમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયુ
X

અંકલેશ્વર શહેર ખાતે ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યો દ્વારા ગરમી માં અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યો સુનિલ પરમાર, મનિષ પટેલ, આયુષી પરમાર, જાગૃતિ પરમાર, કૌશિક પટેલ, વિજય પ્રજાપતિ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પાણી વગર તડપીને મોતને ભેટતા હોય છે, ત્યારે આ જીવદયા પ્રેમીઓએ એક સેવાયજ્ઞ કરીને લોકો માં પણ અબોલ નિર્દોષ જીવ પ્રત્યેની લાગણી જન્મે તેવા ઉદ્દેશ્ય સાથે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

જીવદયા પ્રેમી યુવાનોના આ પ્રયાસને લોકોએ બિરદાવ્યો હતો. અને પક્ષી માટે જળ અને ચણની વ્યવસ્થા સૌ કોઈ કરે તેવી લાગણી પણ લોકોએ વ્યક્ત કરી હતી.

Next Story