Connect Gujarat
સમાચાર

અંકલેશ્વરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પ્રસંગે સ્કુટર રેલી યોજાઈ

અંકલેશ્વરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પ્રસંગે સ્કુટર  રેલી યોજાઈ
X

કામદાર સમાજ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

અંકલેશ્વર કામદાર સમાજ તેમજ દલિત સમાજ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે વિશાળ સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે કામદાર સમાજના નેતા અને ભરૂચ જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ડિ.સી.સોલંકી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રેલીને શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

ડિ.સી.સોલંકીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પ્રસંગે કામદાર સમાજ તેમજ દલિત સમાજ દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. અંકલેશ્વર થી હાંસોટ સુધી આયોજીત આ રેલી થકી ડો.બાબાસાહેબના જીવન ઘડતરના સુત્રો થકી લોક જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવશે, વધુમાં તેઓએ વિશ્વવિભૂતિ ડો.બાબાસાહેબે જે સિધ્ધાંત આપ્યો હતો કે શિક્ષિત બનો,સંગઠીત બનો અને સંઘર્ષ કરોના ના સુત્રોને જીવનમાં અનુસરીને સફળ થવા માટેનું આહવાન કર્યુ હતુ.

Next Story