Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં સિક્યુરિટી જવાને ગળે ફાંસો ખાઈને જીવન લીલા શંકેલી લેતા ચકચાર

રાજકોટમાં સિક્યુરિટી જવાને ગળે ફાંસો ખાઈને જીવન લીલા શંકેલી લેતા ચકચાર
X

રાજકોટમાં RTO કચેરીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

સુરેન્દ્ર નગર જિલ્લાના લીમડી તાલુકાના જાબું ગામનો વતની 30 વર્ષીય ઈશ્વર કાનજીભાઈ દેલવાડીયા રાજકોટ RTO કચેરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો.તેને RTO કચેરીમાં પાણીની ટાંકી પાસે દોરડાનો ફંદો બનાવીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતુ.સોમવારની સવારે સફાઈ કર્મચારી આવતા તેઓને ઘટનાની જાણ થઇ હતી.અને પોલીસ તેમજ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન ઈશ્વર દેલવાડીયાના થેલા માંથી ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી,જેમાં તેને પત્નીના વિરહમાં અંતિમ પગલુ ભર્યુ હોવાનું પોલીસે સુસાઈડ નોટ પરથી અનુમાન લાગવ્યુ છે,અને તેના આ પગલા પાછળ કોઈજ જવાબદાર નથી કે કોઈના દબાણમાં આવીને આપઘાત કર્યો નહોવાનું પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.વધુમાં ઈશ્વરના લગ્ન બાદ છૂટાછેડા થઇ ગયા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Next Story