ભરૂચ રતન તળાવમાં કાચબાના મોતનો સિલસિલો યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ
BY Connect Gujarat13 Jun 2017 12:40 PM GMT
X
Connect Gujarat13 Jun 2017 12:40 PM GMT
ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એકવાર કાચબાના મોતની ઘટના પ્રકાશમાં આવી છે.જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ શહેરના રતન તળાવમાં કાચબાના મોતનો સિલસિલો યથાવત રહેતા જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.આ ઉપરાંત સ્થાનિક લોકોએ કાચબાનો મૃતદેહ લઈને કલેકટર કચેરી પહોંચ્યા હતા. અને જંગલ ખાતાનાં શિડયુલ વનમાં આવતા કાચબાના જીવન રક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
Next Story