રાજકોટ કોંગ્રેસે આતંકીના પૂતળાનું દહન કર્યુ
BY Connect Gujarat11 July 2017 12:02 PM GMT
X
Connect Gujarat11 July 2017 12:02 PM GMT
રાજકોટ કોંગ્રેસ દ્વારા અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી, અને આતંકીનાં પૂતળાનું દહન પણ કર્યુ હતુ.
જમ્મુ કાશમીરના અનંતનાગ પાસે ગુજરાતની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 7 ગુજરાતીઓના મોત પણ નિપજ્યા છે. ત્યારે સમગ્ર દેશમાંથી આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે.
રાજકોટના મવડી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા આંતકવાદીઓના પુતળાનુ દહન અને ટાયર સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસી કોંર્પોરેટરનું કહેવુ હતુ કે આજે અમે ભાજપ કોંગ્રેસ નહિ પણ એક દેશવાસી તરીકે ઘટેલી ઘટનાનો વિરોધ કરીએ છીએ.
Next Story