ભરૂચ જિલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક યોજી
BY Connect Gujarat19 July 2017 2:06 PM GMT
X
Connect Gujarat19 July 2017 2:06 PM GMT
ભરૂચ જિલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક કરીને ચૂંટણી લક્ષી માર્ગદશન આપ્યુ હતુ.
ભરૂચ, વાગરા અને અંકલેશ્વરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જીલ્લાનાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠકમાં આવનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભેની રણનીતિ અંગેની ચર્ચા કરી હતી.
આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે ભાજપ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 150નાં લક્ષ્ય સાથે આગળ વધવા માટે રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે. અને સમીક્ષા બેઠકમાં કાર્યકર્તાઓ સરકારની વિવિધ યોજનાઓ જનજન સુધી પહોંચાડવા સહિત ચૂંટણીલક્ષી જરૂરી સમીક્ષા કરવામાં આવી રહી છે, આ ઉપરાંત તેઓએ શંકરસિંહ વાઘેલા અંગે જણાવ્યુ હતુ કે તેઓએ એક સન્માનિત નેતા છે અને તેમના જન્મદિવસની તેઓને શુભેચ્છા પાઠવી હતી.
Next Story