Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પનામ કેસમાં દોષિત

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પનામ કેસમાં દોષિત
X

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પનામા ગેટ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જેના કારણે તેઓને પીએમના પદ પરથી હાટાવી પણ શકાય છે.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે નવાઝ શરીફ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે એનએબીને આદેશ આપ્યો હતો કે, બે સપ્તાહમાં નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરે.

પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાને મિડીયાને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, તે પનામા ગેટ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપી દેશે અને રાજનીતિ છોડી દેશે. તેમના આ નિર્ણયથી તેમના સમર્થકો અને સત્તાપક્ષ પીએમએલ-એન સ્તબ્ધ છે.

Next Story