Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર વાલિયા રોડ ખખડધજ બનતા વાહન ચાલકોને હાલાકી

અંકલેશ્વર વાલિયા રોડ ખખડધજ બનતા વાહન ચાલકોને હાલાકી
X

અંકલેશ્વર વાલિયા રોડ વરસાદનાં કારણે ખખડધજ બનતા ટ્રાફિક તેમજ અકસ્માત માટે નિમિત્ત બની રહ્યો છે.

અંકલેશ્વર વાલિયા રોડ જીઆઇડીસી તળાવ પાસે વરસાદનાં કારણે ખાડાનું સામ્રાજ્ય સર્જાયુ છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા સેંકડો વાહન ચાલકો માટે મુશ્કેલી રૂપ આ માર્ગ બની ગયો છે.

અગાઉ ખાડા પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાંન આવતા પહેલા કરતા પણ વધુ ખખડધજ આ માર્ગ બની ગયો છે.

અંકલેશ્વર વાલિયા રોડ સમયની માંગ સાથે ફોર લેન બનાવવાની માંગ પણ ઉઠી છે અને ઉચ્ચ કક્ષા સુધી તેની રજૂઆત બાદ પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એક તરફ સેંકડો માર્ગ અને તેમાં પણ ખાડા પડતા વાહન ચાલકોએ સાવચેતી પૂર્વક પસાર થવુ પડે છે. અને માર્ગ ફોરલેન બનતા બનશે પરંતુ માર્ગનું જરૂરી સમારકામ કરીને ખાડા પુરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.

Next Story