અંક્લેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
BY Connect Gujarat5 Aug 2017 6:15 AM GMT
X
Connect Gujarat5 Aug 2017 6:15 AM GMT
અંકલેશ્વરનાં નવાબોરભાઠા રોડ પર આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં શિશુ વિભાગના ભૂલકાઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે બહેને ભાઈને રક્ષા બાંધી ચોકલેટ આપીને મોઢુ મીઠું કરાવ્યુ હતુ. નાના ભુલકાઓએ અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી પ્રસંગને દિપાવ્યો હતો.
આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ ,ચેરમેન વિમલભાઈ પાઠક ,વહીવટદાર રસીલાબેન કુંભાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શાળામાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ રાખડી બનાવવાની સ્પર્ધામાં પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
Next Story