Connect Gujarat
દેશ

ગોંડલનાં ચકચારી હત્યા કેસમાં ભાજપનાં ધારાસભ્યને આજીવન કેદની સજા ફટકારતી હાઈકોર્ટ

ગોંડલનાં ચકચારી હત્યા કેસમાં ભાજપનાં ધારાસભ્યને આજીવન કેદની સજા ફટકારતી હાઈકોર્ટ
X

ગોંડલનાં ચકચારી હત્યા કેસમાં હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય સહિત ત્રણને આજીવન કેદની સજા ફટકારતા ખળભળાટ મચી ગયો હતો.

ગોંડલમાં તારીખ 8 ફેબ્રુઆરી 2004નાં રોજ રાત્રે નિલેશ રૈયાણી અને જયેશ સાટોડીયા પર જીવલેણ હુમલો થયો હતો. અને ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરવામાં આવી હતી.આ કેસમાં ગોંડલનાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા, અને મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઉર્ફે ભોગતરાણા સહિતના આરોપીઓ પર અગાઉ રાજકોટ સેસન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો,જેમાં તેઓનો નિર્દોષ છુટકારો થયો હતો, અને ત્યાર બાદ આ કેસને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, અને એક આરોપીનો આ કેસમાં નિર્દોષ છુટકારો થયો હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story