ભરૂચના જમાદાર ટ્રાન્સપોર્ટ પરિવારના ઘરને નિશાન બનાવતા તસ્કરો
BY Connect Gujarat12 Aug 2017 1:37 PM GMT
X
Connect Gujarat12 Aug 2017 1:37 PM GMT
ભરૂચના નંદેલાવ રોડને અડીને આવેલ જમાદાર ટ્રાન્સપોર્ટરનાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ, અને સોનાચાંદીનાં દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 5 લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.ભરૂચનાં નંદેલાવ રોડને અડીને આવેલ જમાદાર ટ્રાન્સપોર્ટનાં બંધ મકાનનો રાત્રી દરમિયાન તસ્કરોએ દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને કબાટમાં મુકેલા સોનાચાંદીનાં દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.આ અગેંની જાણ A ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને ચોરીની ઘટના અંગેની તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.
Next Story