ઉત્તરપ્રદેશમાં બીઆરડી હોસ્પિટલમાં ઓક્સિજન ઠપ થઈ જતા 30 બાળકોના મોત
BY Connect Gujarat12 Aug 2017 7:06 AM GMT
X
Connect Gujarat12 Aug 2017 7:06 AM GMT
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાઈ ઠપ થઈ જતા 30 બાળકોના મોત થયા હતા, મરનાર બાળકોમાં 10 બાળકો એનએનયુ વોર્ડમાં હતા, 12 ઈસેફેલાઈટિસ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા, હોસ્પિટલની મુલાકાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી હતી.
જાણવા મળ્યા મુજબ ઓક્સિજન સપ્લાઈ કરતી કંપનીને 66 લાખ રૂપિયા જમા નહીં કરી શકવાના કારણે ફર્મે ઓક્સિજન સપ્લાઈ રાતથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો, અને તમામ સિલેન્ડર પણ ખત્મ થયા હતા, જેમાં ઈસેફેલાઈટિસ વોર્ડમાં દર્દીઓએ બે કલાક સુધી એમ્બૂ બેગનો સહારો લીધો હતો. જોકે તેમ છતાં 30 જેટલા બાળકો મૃત્યુ પામ્યા હતા.
Next Story