Connect Gujarat
ગુજરાત

કલ્પેશ તેલવાલાનાં આક્ષેપો તદ્દન પાયા વિહોણા,ન.પા. પ્રમુખ મીનાબહેન પટેલ

કલ્પેશ તેલવાલાનાં આક્ષેપો તદ્દન પાયા વિહોણા,ન.પા. પ્રમુખ મીનાબહેન પટેલ
X

અંકલેશ્વર નગર પાલિકાનાં ઉપપ્રમુખ પદ પરથી કલ્પેશ તેલવાલાએ રાજીનામુ આપ્યા બાદ તેઓએ પ્રમુખ મીનાબહેન પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે, જે આક્ષેપોને મીનાબહેને પાયા વિહોણા ગણાવ્યા હતા.

અંકલેશ્વર નગર પાલિકામાં હોદ્દેદારો વચ્ચેનો વિવાદ હવે બહાર આવી રહ્યો છે. ઉપ પ્રમુખ પદેથી કલ્પેશ તેલવાલાએ રાજીનામુ આપવામાં નગર પાલિકાના પ્રમુખ મીનાબહેન પટેલની નીતિરીતિને જવાબદાર ગણાવી છે, અને પ્રમુખ પર ભ્રષ્ટાચાર તેમજ અપશબ્દો બોલતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.

આ અંગે નગર પાલિકાના પ્રમુખ મીનાબહેન પટેલે મિડીયાને જણાવ્યું હતુ કે તેમના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે, અને તેઓ હંમેશા નગર પાલિકા અને જિલ્લાની સમિતિઓ સાથે સંકલન કરીને પ્રજાહિતનાં કર્યો કર્યા હોવાનું જણાવી તેઓ પર લાગેલા આક્ષેપોને રદિયો આપ્યો હતો.

Next Story