સ્પેનના બાર્સેલોનમાં થયો આતંકી હુમલો , 13નાં મોત, 4 આતંકી ઠાર
BY Connect Gujarat18 Aug 2017 5:36 AM GMT
X
Connect Gujarat18 Aug 2017 5:36 AM GMT
સ્પેનના બાર્સેલોનામાં મોટા પ્રમાણમાં આતંકી હુમલો થયો જેમાં એક વાને ભીડવાળી જગ્યામાં લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જેમાં 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠ આઈએસઆઈએસ એ લીધી છે. આ ઘટનામાં પોલીસે શંકાસ્પદ આતંકીને મોતને ઘાટ ઉતાર્યા છે.
આ ઘટના થયા બાદ બાર્સેલોનામાં રસ્તાઓ પર અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં પોલીસે બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે.
આ હુમલા બાદ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે બાર્સેલોના આતંકીવાદી હુમલામાં તમામ ભારતીય સુરક્ષિત છે. અને તે સ્પેન સ્થિત ભારતીય દૂતાવાસનાં સતત સંપર્કમાં છે.
Next Story