અમોદ નાહિયેર સ્વામિનારાયણ ગૃરૃકુલ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ
BY Connect Gujarat19 Aug 2017 1:09 PM GMT
X
Connect Gujarat19 Aug 2017 1:09 PM GMT
આમોદ તાલુકાનાં નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુલનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી હતી.
રાજ્યભરમાં સ્વાઇન ફલુનો કહેર વધતા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ આમોદ તાલુકાનાં નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુલનાં વિદ્યાર્થીઓએ કર્યો હતો, અને શાળા ખાતેથી સ્વચ્છતા અંગેની રેલી કાઢીને હનુમાનજી મંદિર સુધી વિદ્યાર્થીઓએ વિવિધ શ્લોગન સાથેના બેનરો હાથમાં લઈને રેલી યોજી હતી.
આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને ગ્રામજનો પણ જોડાયા હતા.
Next Story