Connect Gujarat
દેશ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનો દાવો 2022 સુધી આતંકવાદ ખતમ થશે

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનો દાવો 2022 સુધી આતંકવાદ ખતમ થશે
X

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે વર્ષ 2022 સુધીમાં આતંકવાદનો ખાત્મો કરવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત કાશ્મીરના મુદ્દાનો પણ ઉકેલ આવી જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

લખનૌમાં સંકલ્પ થી સિદ્ધિ ન્યુ ઇન્ડિયા મુવમેન્ટ (2017 - 2022) નવા નિર્માણનાં કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતુ કે ભારતમાં અનેક સમસ્યાઓ છે. આતંકવાદ, નક્સલવાદ અને કાશ્મીર સમસ્યાનું વર્ષ 2022 સુધીમાં સમાધાન થઇ જશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો.

ગૃહમંત્રી રાજનાથસિંહે ભારતને સ્વચ્છ, ગરીબી મુક્ત અને જાતિવાદ મુક્ત બનાવવાનાં સમારોહમાં ઉપસ્થિત લોકોને શપથ પણ લેવડાવ્યા હતા.

Next Story