ગુજરાતમાં JDU શરદ યાદવ સાથે જ રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા ધારાસભ્ય છોટુભાઈ વસાવા
રાજ્યસભાની ચૂંટણીમાં NCP અને JDUનાં ધારાસભ્યોનાં મતોનું મુલ્ય ઘણું આંકવામાં આવ્યુ હતુ, અને ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવે કોંગ્રેસને મત આપ્યો હતો, તેઓએ ખુલાસો કરતા જણાવ્યું હતુ કે નીતિશ કુમાર અને ત્યાગીનાં ઇસારે મારા પર ભાજપે વોટ આપવા માટે દબાણ કર્યુ હતુ.
ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ મિડીયાને જણાવ્યું હતુ કે NCPએ અહમદ પટેલને મત નથી આપ્યો, અહમદ પટેલને મેં વોટ આપ્યો છે.
વધુમાં તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે નીતિશ કુમાર અને JDUનાં ત્યાગીનાં ઈશારે તેઓ પર ભાજપને વોટ આપવા માટે દબાણ કરાયુ હતુ. અને મારા નામે નીતિશ કુમારે 50 કરોડ લીધા હોવાની શંકા પણ તેઓએ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત છોટુભાઈ વસાવાએ ગુજરાતમાં JDU શરદ યાદવ સાથે જ રહેશે તેવો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો, અને નીતિશ કુમારે બિહારની જનતાનો વિશ્વાસ તોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યો હોવાનું પણ છોટુભાઇ વસાવાએ જણાવ્યુ હતુ.