મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન
BY Connect Gujarat19 Aug 2019 11:29 AM GMT
X
Connect Gujarat19 Aug 2019 11:29 AM GMT
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યાં હતાં. તેમણે પત્ની અંજલિ રૂપાણી સાથે દેવાધિદેવ શિવજીની પૂજા અર્ચના કરી હતી. રૂપાણી પરિવાર તરફથી સોમનાથ મંદિર ખાતે ધ્વજા રોહણ પણ કરાયું હતું.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. આજે વહેલી સવારથી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કરવા વહેલી સવારના 5 વાગ્યાથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે દર વર્ષની માફક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. તો સાથે જ મહાદેવ ની વિશેષ પૂજા કરી વાજતે ગાજતે ધ્વજા પણ અર્પણ કરી હતી.
Next Story