Connect Gujarat
ગુજરાત

વાગરા યુથ કોંગ્રેસે રાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પી

વાગરા યુથ કોંગ્રેસે રાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પી
X

વાગરા યુથ કોંગ્રેસે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જન્મ જયંતિ પ્રસંગે બાઈક રેલી યોજીને અને તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને ઉજવણી કરી હતી.દહેજમાં 6 ઓક્ટોબર 1989માં ભુતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ IPCL કંપનીનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ કરેલ જગ્યા ઉપર રાજીવજીની પ્રતિમાનુ સ્થાપન પણ કરવામાં આવ્યુ હતુ.આ જગ્યા હાલ અદાણી કંપનીમાં આવેલ છે.

સ્વ.રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વાગરા યુવક કોંગ્રેસે GACL ચોકડીથી બાઇક રેલી કાઢી હતી. રાજીવ ગાંધી અમર રહોના સૂત્રોચ્ચાર સાથે દહેજ ગામમાંથી નીકળી અદાણી કંપની પર રેલી પહોંચી હતી. અદાણી કંપનીમાં રાજીવ ગાંધીની પ્રતિમાને ઉપસ્થિત લોકોએ પુષ્પાંજલિ અર્પી હતી. આ દિને યુવક કોંગ્રેસ તેમજ કોંગી આગેવાનોએ તેમને યાદ કરી દહેજ વિસ્તારનો જે આજે વિકાસ દેખાઇ રહ્યો છે, તેના સ્વપ્નદૃષ્ટા અને શિલ્પી રાજીવ ગાંધીને આભારી હોવાનું જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી કંપનીની મધ્યે આવેલ રાજીવજીની પ્રતિમા ઉપરથી કન્વેયર બેલ્ટ પસાર થતો હોવાથી કોલસી ઊડતી હતી, યુવા કોંગ્રેસે પ્રતિમાને સુરક્ષિત જગ્યાએ ખસેડવા અનુરોધ કર્યો હતો. જેને માન આપી કંપનીના આગળના ભાગે મુખ્ય પ્રવેશ ઘ્વારે સુવ્યવસ્થિત જગ્યાએ પ્રતિમાનું સ્થળાંતર કરતા યુવા કોંગ્રેસે અદાણી કંપની મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.આ તબક્કે કોંગી આગેવાન મહેન્દ્રસિંહ રાજ, સુલેમાન પટેલ, સુરેશ પરમાર, રમણભાઈ ગોહિલ, યુવા અગ્રણી સમસાદ સૈયદ, કિશોરસિંહ રણા, આરીફ પટેલ, વિજય ગોહિલ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.

Next Story