Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં પિતાએ પુત્રની હત્યા બાદ કર્યો આપઘાત

રાજકોટમાં પિતાએ પુત્રની હત્યા બાદ કર્યો આપઘાત
X

રાજકોટ શહેરનાં લક્ષ્મી નગર સોસાયટીમાં રૂવાડા ઉભા કરી દે તેવો બનાવ સામે આવ્યો છે. ખુદ પિતાએ જ પુત્રની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બનાવની જાણ ઘરનાં સભ્યો દ્વારા માલવિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત તપાસ અર્થે રાજકોટ વેસ્ટ ઝોનનાં એસીપી હર્ષદ પટેલે પણ ઘટના સ્થળની તપાસ કરી હતી.

પોલીસને ઘટનામાં કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નહોતી. અને જ્યારે મૃતક બાળકની માતા વિશે પુછયુ તો તેણી હાલ ડિલિવરી માટે પોતાને પિયર ગઈ હોવાનુ પરિવાર જનોએ જણાવ્યુ હતુ.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પરેશ સાગઠીયાની પત્નીએ હાલમાં જ એક પુત્ર રત્નને જન્મ આપ્યો છે અને હાલ તેણી તેના પિયર છે. તો સાથો સાથ પરેશ સાગઠીયા પોતે સુખી સંપન્ન વ્યક્તિ હતા. ત્યારે ક્યા કારણોસર એક પિતાએ આ પ્રકારનું પગલુ ભર્યુ તે અંગેનું કોકડું ઉકેલવાના પોલીસે પ્રયાસો શરુ કર્યા છે.

Next Story