ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ માટે એક પ્લેન ખરીદવું જોઈએ: કપિલ દેવ
BY Connect Gujarat11 Sep 2017 7:47 AM GMT
X
Connect Gujarat11 Sep 2017 7:47 AM GMT
ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ક્રિકેટ બોર્ડને એક સૂચન કર્યું છે, અને જણાવ્યુ છે કે ખેલાડીઓને અન્ય દેશોમાં પ્રવાસ દરમિયાન સરળતા રહે તે માટે એક પ્લેન જ ખરીદી લેવું જોઈએ.
ભારતીય ક્રિકેટ ટીમને વિદેશમાં મેચ રમવાનાં પ્રવાસ દરમિયાન જુદી જુદી એરલાઇન્સની ફ્લાઇટમાં મુસાફરી કરવી પડે છે, અને જેમાં તેઓનો સમય વધુ બગડે છે, જેના કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે એક પોતાનું પ્લેન જ ખરીદી લેવું જોઈએ જેથી ટીમને વિદેશ પ્રવાસ દરમિયાન હવાઈ યાત્રામાં સરળતા રહે અને સમય પણ બચી જશે, જેથી ટીમને પ્રેક્ટિસ માટે થોડો વધુ સમય મળી શકે છે. આ પ્રકારનું સુચન ભારતીય ક્રિકેટ ટીમનાં ભુતપૂર્વ કેપ્ટન કપિલ દેવે કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
Next Story