Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં મેગા જોબ ફેરનું આયોજન

અંકલેશ્વરમાં મેગા જોબ ફેરનું આયોજન
X

અંકલેશ્વર શહેરનાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે તારીખ 16મી સપ્ટેમ્બર શનિવારનાં રોજ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ નર્મદા જિલ્લના મેગા જોબફેરનાં પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રવાસન અને વન મંત્રી ગણપતસિંહ વસાવા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વન અને આદિજાતિ વિકાસ મંત્રી શબ્દશરણ તડવી, સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.

જોબફેરમાં યુવાનોને રોજગાર લક્ષી માહિતી ઉપરાંત નિમણુંક પત્રો પણ એનાયત કરવામાં આવશે.

Next Story