અંકલેશ્વર નવા બોરભાઠા ગામ ખાતે રૂપિયા 60 લાખનાં ખર્ચે શાળાનું નિર્માણ કરાશે
BY Connect Gujarat16 Sep 2017 6:58 AM GMT
X
Connect Gujarat16 Sep 2017 6:58 AM GMT
અંકલેશ્વર નવા બોરભાઠા ગામ ખાતેની પ્રાથમિક શાળાનાં નવા વર્ગખંડનાં નિર્માણ કાર્યનો સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે ખાતમુહર્ત કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નવા બોરભાઠા ગામ ખાતે રૂપિયા 60 લાખનાં ખર્ચે પ્રાથમિક શાળાનાં 7 નવા ઓરડા બનાવવામાં આવશે, જે કાર્યનો પ્રારંભ સહાકર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે કરવામાં આવ્યો હતો.
મંત્રી ઈશ્વસિંહ પટેલે શાળાનાં ઓરડા નિર્માણની ખાતમુહર્ત વિધિ કરી હતી,આ પ્રસંગે શાળાનાં શિક્ષકો તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story