Connect Gujarat
ગુજરાત

રાહુલ ગાંધી જેટલા સક્રિય રહેશે કોંગ્રેસ તેટલી ચૂંટણી હારશે : સીએમ વિજય રૂપાણી

રાહુલ ગાંધી જેટલા સક્રિય રહેશે કોંગ્રેસ તેટલી ચૂંટણી હારશે : સીએમ વિજય રૂપાણી
X

રાજકોટની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાપર વેરાવળ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નવનિર્મિત ફાયર સ્ટેશન તેમજ 51 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા સિમેન્ટ રોડનું લોકાર્પણ કર્યુ હતુ.

શાપર વેરાવળ સૌરાષ્ટ્રની મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી મોટી રોજગારી ઉભી થાય છે માટે આવનારા દિવસોમાં 400 કરોડના ખર્ચે પાણી માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ.

વધુમાં જીએસટીના કારણે વેપારીને પડતી મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં આગામી સૌરાષ્ટ્ર પ્રવાસ અંગે ટિપ્પણી કરતા જણાવ્યુ હતુ કે રાહુલ જેટલા સક્રિય રહેશે તેટલી કોંગ્રેસ હારશે. છેલ્લા ત્રણ વર્ષમાં રાહુલ ગાંધી 22 થી વધુ ચૂંટણી હાર્યા હોવાનો ઉલ્લેખ પણ તેઓએ કર્યો હતો.

Next Story