Connect Gujarat
દેશ

અમીર ભારતીયોની યાદીમાં રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણનો સમાવેશ

અમીર ભારતીયોની યાદીમાં રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણનો સમાવેશ
X

દેશના ટોપ 10 ધનિકોમાં બાબા રામદેવનાં સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ સ્થાન મેળવ્યુ છે. આચાર્ય બાલકૃષ્ણ એફએમસીજી કંપની પતંજલિના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. બાલકૃષ્ણ ગત વર્ષે 25માં સ્થાન પર હતા. જેઓ આ વખતે 8માં સ્થાને પહોંચ્યા છે. તેમની સંપત્તિ 173 ટકા વધી 70 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.

બાબા રામદેવના વિશ્વાસપાત્ર તેવા આચાર્ય બાલકૃષ્ણ કંપનીમાં 94 ટકાની ભાગેદારી ધરાવે છે. આચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે તેમણે આજ દિવસ સુધી એક પણ દિવસની રજા નથી લીધી . વૈશ્વિક સ્તર પર પહેલી વખત ટોપ 15માં જગ્યા બનાવવામાં તેઓ સફળ રહ્યા છે.

Next Story