અંકલેશ્વર ONGC ખાતે આસો સુદ અષ્ટમીનાં પાવન અવસરે દુર્ગા પૂજનની ભક્તિસભર ઉજવણી
BY Connect Gujarat28 Sep 2017 12:09 PM GMT
X
Connect Gujarat28 Sep 2017 12:09 PM GMT
શારદીય નવરાત્રી આસો સુદ અષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી,મહાષ્ટમી, હવનાષ્ટમીનાં પાવન અવસર નિમિત્તે અંકલેશ્વર ONGC ખાતે સાર્વજનિક પૂજા કમિટી દ્વારા દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર ONGC સાર્વજનિક પૂજા કમિટી દ્વારા દુર્ગા પૂજા નિમિત્તે વિશેષ માતાજીની આરાધના કરવામાં આવી હતી.
ભક્તિસભર દુર્ગા પૂજાનો બંગાળી સમાજ સહિત ONGC કોલોનીમાં રહેતા લોકોએ લ્હાવો લીધો હતો.
જયારે આજનાં આ શુભદિને ઠેર ઠેર માતાજીનાં હવનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Next Story