Connect Gujarat
ગુજરાત

જાણો વડાપ્રધાને ગાંડા વિકાસ પર વળતો પ્રહાર કઈ રીતે કર્યો

જાણો વડાપ્રધાને ગાંડા વિકાસ પર વળતો પ્રહાર કઈ રીતે કર્યો
X

છેલ્લા કેટલાંય સમયથી ગુજરાતમાં વિકાસ ગાંડા થયાના મેસેજ ફરતા થયા છે. ત્યારે સોશીયલ મિડિયામાં આ મેસેજ દ્વારા લોકો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પોતાનો રોષ ઠાલવિ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાંય વર્ષોથી વિરોધ પક્ષમા બેઠેલિ કોંગ્રેસે આ બાબતનો ખુબ લાભ ઉઠાવ્યો છે.

ત્યારે આજ રોજ વડાપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવાસે હતા, ચોટીલા ખાતે તેઓએ ત્રણ વિકાસ કાર્યોના ખાતમુર્હૂત કર્યા તેમજ બે વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા હતા. ત્યારે આ સમયે સભા સંબોધતી વખતે વડાપ્રધાને પોતાના વકત્વયની શરૂઆત કરતા લોકોને કહ્યુ હતુ કે સુરેન્દ્રનગર વાળાઓએ ક્યારેય વિચાર્યુ હતુ કે સુરેન્દ્રનગરમા એરપોર્ટ બનશે. આ જે એરપોર્ટ બનાવાનુ છે તેને વિકાસ કહેવાઈ કે નહી. તેમજ આ વિકાસ તમને ગમે છે કે નહી. તેના પ્રતિસાદ મા લોકોએ વડાપ્રધાનને કહ્યુ હતુ કે હા અમને વિકાસ ગમે છે. આમ. છેલ્લા કેટલાંય સમયથી વિકાસ ગાંડા થયાના પોસ્ટર જે કોંગ્રેસનુ આઈટી સેલ લગાવી રહ્યુ હતુ. તે તમામનો જવાબ વડાપ્રધાને આજે પોતાના વકત્વય દરમિયાન આપ્યો હતો. તો થોડાક સમય પહેલા સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ પણ લોકોને પુછયુ હતુ કે ગુજરાતમાં આખરે વિકાસ ને થયુ છે શુ

Next Story