અંકલેશ્વરના પીઢ રાજકારણી અને સહકારી આગેવાન હીરાલાલ મોદીના નિધન પર શોક વ્યક્ત કરતા સાંસદ અહમદ પટેલ
BY Connect Gujarat12 Oct 2017 8:09 AM GMT
X
Connect Gujarat12 Oct 2017 8:09 AM GMT
અંકલેશ્વરના પીઢ રાજકારણી અને સહકારી આગેવાન એવા હીરાલાલ કંચનલાલ મોદીનું 80 વર્ષની વયે લાંબી માંદગી બાદ આજરોજ સવારે અંકલેશ્વર તેઓના નિવાસ્થાને નિધન થયું હતું, તેઓના નિધનના સમાચાર મળતા મૂળ અંકલેશ્વરના અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
અહેમદભાઈ પટેલે શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે હીરાભાઈ મોદીના નિધનથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાએ એક પીઢ અને કુનેહ ધરાવતા રાજકીય તેમજ સામાજિક આગેવાન ગુમાવ્યા છે.અંકલેશ્વર નગરપાલિકા થી લઇ સહકારી ક્ષેત્રે પણ તેઓનું યોગદાન ભૂલી શકાય એમ નથી,તેઓની સાથે અંગત પરિચય હોવાથી અત્યંત આઘાતની લાગણી અનુભવું છું. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના કરું છું અને તમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું.
Next Story